અમદાવાદ : એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે. બીજી તરફ આ મહામારી દરમિયાન આવતા પર્વની ઉજવણીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વખતો વખત કેટલી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ તહેવારોની ઉજવણી કરવામાં આવી છે. જ્યારે હવે ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ બાબતો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
- કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય જાહેર માર્ગ ફૂટપાથ કે ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર
- આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર
- આમ જનતાની લાગણી દુભાવવા એ તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ લખી પતંગ ઉડાડવા ઉપર