Home /News /ahmedabad /અમદાવાદીઓને વધુ એક નવુ કાંકરિયા લેક્ર ફ્રન્ટ મળશે, AMC આ તળાવનું કરી રહી છે ડેવલપમેન્ટ
અમદાવાદીઓને વધુ એક નવુ કાંકરિયા લેક્ર ફ્રન્ટ મળશે, AMC આ તળાવનું કરી રહી છે ડેવલપમેન્ટ
ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર હસ્તગત આવેલા 80 થી વધુ તળાવ એએમસીને બ્યુટી ફિકેશન માટે સોંપવામા આવ્યા છે. જે અતંર્ગત અમદાવાદ શહેરના સૌથી મોટા અને ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવનો પણ સમાવેશ કરાયો છે.
અમદાવાદ શહેર (Ahmedabad)મા માટે લેન્ડ માર્ક ગણાતા કાંકરિયા લેક્ર ફ્રન્ટ (Pebble Lacquer Front) જેમ વધુ એક તળાવ ડેવલપ (development of the lake) કરવાની હિલચાલ ચાલી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા ચંડોળા તળાવ (Chandola Lake) વિકાસ માટે પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્ય સરકાર હસ્તગત આવેલા 80 થી વધુ તળાવ એએમસીને બ્યુટી ફિકેશન માટે સોંપવામા આવ્યા છે. જે અતંર્ગત અમદાવાદ શહેરના સૌથી મોટા અને ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવનો પણ સમાવેશ કરાયો છે . એએસમીના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પદાધિકારાઓ અને વિપક્ષ નેતાની ઉપસ્થિતિમાં ચંડોળા તળાવમાં વર્તમાન સ્થિતિ અંગે સમિક્ષા કરી હતી.
એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે ન્યુઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે સરકાર તરફથી અમદાવાદ મહાનગર પાલિકાને 81 તળાવ ડેવલપ કરવા માટે અપાયા છે. હાલ એએસમી દ્વારા કાંકરિયા લેક્ર ફન્ટ માફક અન્ય તળાવો પણ ડેવલપ કરાઇ રહ્યા છે. શહેરના સૌથી મોટા તળાવ ચંડોળા તળાવ હાલ એએમસીને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ આપી રહ્યા છે. એએમસી દ્વારા ચંડોળા તળાવના વિકાસ માટે હાલ પ્લાનિગ કરી રહ્યું છે. ચંડોળા તળાવ આસપાસ મોટા પ્રમાણમાં ઝુંપડપટ્ટી વિસ્તાર છે જ્યા ગેરકાયદે મોટા પ્રમાણ દબાણ થયું છે. હાલ એએમસી દબાણ જગ્યા બાદ જે જગ્યા ખુલી છે તે સ્થળ પર શું ડેવલપ થઇ શકે તે અંગે સમિક્ષા કરી છે. બીઆરટીએસ રોડ તરફના તળાવને પ્રથમ ડેવલપ કરાશે ત્યાર બાદ ફેઝ મુજબ ડેવલપ કરવાનું આયોજન છે.
એએસમી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકા દરેક બજેટમાં ચંડોળા તળાવના વિકાસની વાતો કરે છે પણ વિકાસ માત્ર કાગળ પર રહી જાય છે. આજે પણ શહેરમાં અનેક તળાવ વિકાસ રાહ જોઇ રહ્યા છે. ચંડોળા તળાવ વિકાસ વાત સત્તા પક્ષે કરી છે તે આવકાર્ય છે. પરંતુ વિકાસની વાત માત્ર કાગળ પર ન રહી તેનો યોગ્ય અમલ થાય તે જરૂરી છે.
ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આશા ભીલે આશાવલની સ્થાપના કરી ત્યારે તે અસ્તિત્વમાં હતું. માર્ચ 1930માં ઐતિહાસિક દાંડી કૂચના માર્ગમાં મહાત્મા ગાંધીએ તળાવની બાજુમાં પીપળાના મોટા ઝાડની નીચે રોકાયા હતા. તળાવનો વ્યાપ અંદાજીત 1200 હેક્ટરમા ફેલાયું છે. એક સમય અહીં તળાવમાં અનેક પક્ષીઓનું નિવાસસ્થાન મનાતું હતું.
અમદાવાદ શહેરના 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે. સિટી બ્યુટીફિકેશન – લેક ડેવલપમેન્ટ અન્વયે અત્યાર સુધી રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા છે. વધારાના આ 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવાયા આવ્યા છે.