Home /News /ahmedabad /દિવાળીના તહેવાર લઈ 108 સેવાનો એક્શન પ્લાન તૈયાર, ઇમરજન્સી સેવા માટે કર્મચારીઓ સજ્જ
દિવાળીના તહેવાર લઈ 108 સેવાનો એક્શન પ્લાન તૈયાર, ઇમરજન્સી સેવા માટે કર્મચારીઓ સજ્જ
દિવાળીના તહેવાર લઈ 108 સેવાનો એક્સન પ્લાન તૈયાર
108 Emergency Service: દિવાળીના તહેવારમાં ઘણી અઘટીત ઘટનાઓ બનતી હોય છે. જેના માટે દિવાળીનો પર્વ સુખમય, ઉજાસમય અને સુરક્ષિત ઉજવાય તે માટે 108 ઈમરજન્સી સેવા દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઈમરજન્સી કોલના વધારાને પહોચી વળવા માટે 108 સેવા તહેવાર પહેલા સજ્જ બની ગઈ છે.
અમદાવાદ: દિવાળીના તહેવારમાં ઘણી અઘટીત ઘટનાઓ બનતી હોય છે, જેમાં ખાસ કરીને ફટાકડા ફોડતી વખતે દુર્ઘના સર્જાતી હોય છે. જેના માટે દિવાળીનો પર્વ સુખમય, ઉજાસમય અને સુરક્ષિત ઉજવાય તે માટે 108 ઈમરજન્સી સેવા દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દર વર્ષે તહેવાર દરમિયાન 108 સેવાને ઈમરજન્સી કોલમાં વધારો થાય છે. ઈમરજન્સી કોલના વધારાને પહોચી વળવા માટે 108 સેવા તહેવાર પહેલા સજ્જ બની ગઈ છે. વારંવાર અકસ્માત થતા હોય તેવા સ્થળ પર એમ્બ્યુલન્સ સજ્જ રાખવામાં આવશે. આ સાથે જ એમ્બ્યુલન્સમાં પુરતી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે.
સમયસર સારવાર મળી રહે તે માટે 108 સેવા તત્પર
તહેવાર દરમિયાન ઈમરજન્સી કોલમાં 18થી 20 ટકાનો વધારો થતો હોવાનું અનુમાન રાખવામાં આવે છે. જેથી લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે 108 સેવા દ્વારા તાલિમ બદ્ધ ઈએમટી, પાયલોટ અને અન્ય સુપરવાઈઝરી ટીમ સાથે લોકો માટે ઉપલબ્ધ રહે તેવી વ્વવસ્થા ગોઠવામાં આવી છે. આ સાથે 108 ઈમરજન્સી સર્વિસ લોકોની કપરી પરિસ્થિતિમાં સાથ આપીને આશાનુ કિરણ બનશે. લોકો પણ ત્વરીત સારવાર માટે પહેલા 108ને કોલ કરતા હોય જેમાં 108 દ્વારા પણ સારી એવી સેવા પૂરી પાડવામાં આવે છે.
GVK EMRIના સી.ઓઓ જશવંત પ્રજાપતિએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને લઈ 108 સેવના કર્મચારીઓ સજ્જ છે. સામાન્ય દિવસની ઇમરજન્સી કરતા તહેવારોમાં ઇમરજન્સી કોલમાં વધારો થાય છે. સામાન્ય દિવસમાં 7થી 8 હજાર કોલ આવે છે, જે દિવાળીના તહેવારમાં 10થી 12 હજારે પહોંચે તેવી શકયતા છે. દિવાળીના દિવસે ઇમરજન્સી કોલમાં 13 ટકાનો વધારો થવાનું અનુમાન છે. બેસતા વર્ષના દિવસે ઇમરજન્સી કોલમાં 30 ટકાનો વધારો થવાનું અનુમાન છે. આ સાથે ભાઈ બીજના દિવસે ઇમરજન્સી કોલમાં 20 થી 25 ટકાનો વધારો થવાનું અનુમાન છે.
108 સેવા હોસ્પિટલ સાથે પણ સતત સંપર્કમાં રહીશે
મળતી વિગતો પ્રમાણે તહેવાર દરમિયાન રોડ અકસ્માત, પેટનો દુખાવો, તાવ અને મારામારીના કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. જો કે દિવાળીના તહેવારમાં હોસ્પિટલો પણ રજાનો માહોલ હોય છે. તેવા સમયે 108 સેવા હોસ્પિટલ સાથે પણ સતત સંપર્કમાં રહીશે. 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં તાલિમ બધ્ધ ઓફિસર, ડોકટરની સેવા સાથે સમગ્ર ગુજરાતમાં 802 જેટલી આત્યાધુનિક એમ્બ્યુલન્સ ઉપલ્બ્ધ રહેશે. જો કે આશા રાખીએ કે તહેવારોના દિવસો સૌ માટે સુરક્ષિત પસાર થાય અને સૌ લોકો સુખશાંતિથી તહેવારની ઉજવણી કરે.