Home /News /ahmedabad /અમદાવાદ : અમદાવાદી વાહનચાલકોને કાળઝાળ ગરમીમાં રાહત અપાવશે ટ્રાફિક પોલીસનો આ નિર્ણય, જાણી લો કામના સમાચાર

અમદાવાદ : અમદાવાદી વાહનચાલકોને કાળઝાળ ગરમીમાં રાહત અપાવશે ટ્રાફિક પોલીસનો આ નિર્ણય, જાણી લો કામના સમાચાર

અમદાવાદમાં બે દિવસ વાહન ચાલકોને મળશે રાહત, ટ્રાફિકના 60 સિગ્નલ રહેશે બંધ (તસવીર Shutterstock)

Ahmedabad News : બપોરે કાળઝાળ ગરમી હોવાથી સિગ્નલ બન્ધ રાખી લોકોને રાહત આપવા વિચારણા કરાઈ હતી, ટ્રાયલ બેસિસ પર લાગુ થશે આ નિર્ણય

અમદાવાદ: અમદાવાદીઓ (Ahmedabad) માટે ગરમીમા (Summer) રાહત આપતો નિર્ણય લેવાશે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નનલ બંધ રાખવામાં આવશે. જેથી હવે કાળઝાળ ગરમીમા વાહન ચાલકોને આંશિક રાહત મળી શકશે.. હવે તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ (Traffic Rules) પાલન કરવામા મુકતિ મળશે. બે દિવસ માટે ટ્રાફિક પોલીસે શહેરના 60 સિગ્નલ બપોરે (Traffic Signals To Remain Closed in 1-4) 1 થી 4 બન્ધ રાખવા ટ્રાયલ શરૂ (Trial) કર્યું છે.

શહેર પોલીસ શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય લેવાની છે. પોલીસ અધિકારીઓના અભિપ્રાય બાદ સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામા આવશે. બપોરે 1 વાગ્યા પછી ગરમીનુ પ્રમાણ વધતા વાહન ચાલકોને તડકામા સિગ્નલ પર ઊભા રહેવાના કારણે મુશ્કેલીઓ વધે છે. લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.

બે દિવસ માટે ટ્રાયલ

જેથી ટ્રાફિક પોલીસે બપોરના સમયમા 1 થી 4 દરમિયાન સિ્ગનલ બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે. અને અભિપ્રાય બાદ ટુંક સમયમા સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામા આવશે. હાલ પોલીસે બે દિવસ માટે આ ટ્રાયલ શરૂ કરી 60 સિગ્નલ બન્ધ રાખશે.

આ પણ વાંચો :  Summer Vacation : 5 લાખ થી વધારે અમદાવાદીઓ વેકેશન માણવા તૈયાર, જાણી લો ક્યા ક્યાનું બૂકિંગ થયું છે ફૂલ

આ અંગે ટ્રાફિક વિભાગના અધિકારીઓ એ જણાવ્યું કે ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાના નિર્ણયથી કાળ ઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જંકશનો પર બપોરે સિગ્નલ બંધ રહેશે. જેથી  તડકામાં સિગ્નલ પર ઉભુ ના રહેવું પડે તે માટે માનવતા દાખવીને પોલીસ મહત્વનો  નિર્ણય લેશે.

હાઇડ્રેશનના કિસ્સા

મહત્વનુ છે કે  ઉનાળામાં રસ્તે  જતા વાહન ચાલકો ડીહાઇડ્રેશન ને કારણે પડી જવાના કિસ્સાઓમાં સામે આવતા આ નિર્ણય લેવાની વિચારણ કરવામા આવી હતી અને હવે અમલીકરણ કરાશે.
" isDesktop="true" id="1206628" >

આ પણ વાંચો : Ahmedabad Airport : વેકેશનમાં અમદાવાદ એરપોર્ટથી દેશના આ સ્થળો સુધી મળશે કનેક્ટિવિટી, નવી સેવાનો પ્રારંભ

નિયમ પાળવાના રહેશે જ

મહત્વનુ છે કે ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વાહન ચાલકોને ઉનાળાની કાતીલ ગરમીથી રક્ષણ મળશે. પોલીસે તો લોકોનો વિચાર કરી માનવતા ભર્યું પગલું લીધું છે પણ હવે લોકોએ જવાબદાર બની ટ્રાફિક ના નિયમો પાળવાના રહેશે તેજ આશા પોલીસને લોકો પાસે છે.
Published by:Jay Mishra
First published:

Tags: અમદાવાદ, અમદાવાદના સમાચાર, ગુજરાતી સમાચાર, ટ્રાફિક નિયમ, ટ્રાફિક પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો