કિંજલ કારસરીયા, જામનગર:જામનગરમાં સરકારી covid હોસ્પિટલની બહાર સારવાર પૂર્વે જ સ્વીફ્ટ કારમાં જ તરુણીનો મોત થયાનું સામે આવ્યું છે. સવારથી કતારમાંં ઉભેલા સારવાર માટે ઝંખતા પરિવારની 14 વર્ષની તરુણીનું સારવાર માટે રજીસ્ટ્રેશન થાય તે પૂર્વે જ કારમાં તરુણીએ દમ તોડ્યો હતો. અને પરિવારજનોએ સારવારની લાઈનમાં ઊભા રહી કંટાળી અંતે પોતાની કારમાં જ તરુણીનો મૃતદેહ લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા.