
- News18 Gujarati
- Last Updated: April 23, 2021, 22:27 pm
- કિર્તેશ પટેલ
સુરતઃ શહેરના વરાછા (varachha) ઍલ.ઍચ રોડ વિસ્તારમાં રહેતા વેપારીઍ ઝેરી દવા પી (poison) કરેલા આપઘાત કેસમાં (suicide case) ત્રણ મહિના બાદ પોલીસે ગઈકાલે રાદડીયા પિતા-પુત્ર સહિત ત્રણ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. આરોપીઓઍ મૃતક વેપારી પાસેથી ઉછીના લીધેલા રૂપિયા 9.25 લાખ અને જાબવર્કની મજુરીના રૂપિયા ૧.૫૫ લાખ નહી આપી શારીરીક માનસીક ત્રાસ આપતા આ પગલુ ભયું હતું.
સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે તેવામાં આપઘટા માટે મજબૂર બનીને આપઘટા કરવામાં મામલે પોલીસે ગુણ દાખલ કરવાની સહૃવત કરી છે ત્યારે સુરત ના ઍલ.ઍચ.રોડ ગૌત્તમ પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ શંભુભાઈ ડાયાણી (ઉ,.વ. 52)ઍ ગત તા 20મી જાન્યુઆરીના રોજ મોડી સાંજે સાડા સાતેક વાગ્યે વર્ષા સોસાયટીની પાછળ તેના ઓળખીતાનાï આવેલ શિવાપાર્ક ઍમ્બ્રોઈડરીના ખાતામાં અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ કેસમાં ગઈકાલે મૃતક કિશોરભાઈની પત્નીઍ અંકુર ભરત રાદડીયા (રહે, શ્રધ્ધા પાર્ક સોસાયટી ઍ.કે.રો઼ડ) તેના પિતા ભરત કડવા રાદડીયા અને સંકેત મનસુખ કાનાણી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. જેમાં જણાવ્યુ હતું કે તેના પતિ કિશોરભાઈઍ આરોપીઓને તેમના સગાસંબંધીઓ પાસેથી લઈને આરોપીઓને ઉછીના રૂપિયા 9,25,000 આપ્યા હતા.
આ પણ વાંચોઃ-વલસાડઃ 'મારા ભગવાન જેવા પતિને મારનાર મરવો જ જોઈએ', પતિની હત્યા બાદ બાળકો સાથે પત્નીનું આક્રંદ
આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી
આ ઉપરાંત આરોપીઓ પાસેથી જાબવર્કની મજુરીના રૂપિયા 1,55,275 પણ લેવાના નિકળતા હતા. કિશોરભાઈ અવાર નવાર આરોપીઓ પાસેથી ફોન ઉપર તેમજ રૂબરૂ મળી ઉઘરાણી કરતા હોવા છતાંયે પૈસા આપ્યા ન હતા.
આખરે કંટાળીને ઍક દિવસે કિશોરભાઈઍ તેમને પૈસા નહી આપો તો હું મરી જઈ તેમ કહેતા અંકુરે તેને મરી જાતો મારે શુ હું તારા પૈસા આપવાનો નથી હોવાની કહી આરોપીઓઍ પૈસા નહી આપી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા.
જોકે આ ઘટના મામલે પરિવાર એ વરછ અપોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે જોકે પોલીસે આ મામલે આરોપીને ક્યારે અને કેવી રીતે ધરપકડ કરી તેમાં વિરુદ્ધ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.