દર્દીના બ્લડ કલોટિંગ થઇ જાય છે હૃદય અને ફેફસાંમાં નુકસાન પહોંચાડે છે. ઈન્ટરનેશનલ સ્ટડીથી જાણ થઈ છે કે, કોવિડ-19ના લગભગ 10થી 20 ટકા દર્દીઓમાં કાર્ડિયેક અસર જોવા મળે છે.
અમદાવાદઃ કોવિડ -19 મહામારી (covid-19 pandemic) વચ્ચે હવે દર્દીઓને સાઇટ ઇફેક્ટની (side effect) અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. કોરોના થયો હોય અથવા કોરોના સારવાર લઇ રહ્યા હોય તેવા દર્દીઓના ઘણા કિસ્સાઓમા હૃદયમાં દુખાવો થવો અથના હાર્ટ એટેક કેસમાં (Heart attack) વધારો જોવા મળ્યો છે. દર્દીના બ્લડ કલોટિંગ થઇ જાય છે હૃદય અને ફેફસાંમાં નુકસાન પહોંચાડે છે. ઈન્ટરનેશનલ સ્ટડીથી જાણ થઈ છે કે, કોવિડ-19ના લગભગ 10થી 20 ટકા દર્દીઓમાં કાર્ડિયેક અસર જોવા મળે છે..
કાર્ડિયોલોજિસ્ટ ડો. જય શાહે જણાવ્યુ હતુ કે કોવિડ-19ના ઘણા દર્દીઓ અલગ અલગ પ્રકાર પરિસ્થિત જોઇએ છે. ખાસ કરી જેને ડાયાબિટીસ, બીપી કે પછી કો મોર્બિડ છે તેવા વ્યક્તિઓના હૃદય રોગના કેસ વધ્યા છે. ફેફસાંમાં સોજો અથવા હૃદયની નળીઓ પર સોઝાના કેસ પણ વધ્યા છે.
કોલેસ્ટોરના કારણે બ્લડમા કોટ જોવા મળે છે જેના પગલે હૃદય રોગનો હુમલો થવાના ચાન્સ પણ વધ્યા છે. કેટલાક કિસ્સામાં માત્ર નાની ઉંમર લોકો હોય છતા પણ મૃત્યુ પામે તેની પાછળનુ આ એક મુખ્ય કારણ પણ તબીબી આલમ માની રહી છે. કોરોના સાઇટ ઇફેક્ટમા હાર્ટ એટેક આવતો હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે .
આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ આ પણ વાંચોઃ-મોટા વેપારીના પુત્રએ તગડી રકમ ખર્ચીને થાઈલેન્ડથી બોલાવી કોલગર્લ, યુવતીનું બે દિવસમાં કોરોનાથી થયું મોત ડો જય શાહે વધુમાં જણાવ્યુ હતું કે કોરોના કારણે કો મોર્બિડ લોકોમાં એટકનુ પ્રમાણ વધ્યું છે. કોરોના વાયરસના પગલે હૃદયના નળીઓમાં કલોટ વધ્યા છે. કોરોના પગલે હાર્ટના અન્ય ભાગ જેવા કે સ્નાયુઓ પર અસર થાય છે.
આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું? કોવિડ કારણે હાર્ટના સ્નાયુ પર અસર કરે છે. ડિ ડમાઇર કે સીઆરપી વધારે હોય તો તરત ડોક્ટર સલાહ લેવી જોઇએ. કોવિડના પગલે હાર્ટના દર્દીઓમાં પણ વધારો થયો છે. હાર્ટના પગલે આઇસીયુ અને વેન્ટિલેટર બેડ ઉપયોગ વધ્યો છે.
ડો શાહ વધુમા જણાવ્યુ હતુ કે એન્ટી-કોઍગ્યુલેશનની દવા લે છે કારણ કે વાયરલ સંક્રમણના કારણે બ્લડ ક્લોટિંગ થઈ જાય છે જે હૃદય અને ફેફસાને નુકસાન પહોંચાડે છે. 'ઘણા કિસ્સાઓ એવા પણ જોવા મળે છે જેમાં હૃદયની જમણી બાજુની ધમનીઓ પર દબાણ વધે છે, જેને પલ્મોનરી હાયપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. સમયસર સારવાર કરવામાં આવે તો મૃત્યુદર ઘટાડી શકાય છે.