શાહિદ કપૂરની માતાએ મૌન તોડ્યું, જણાવ્યું બંને લગ્ન કેમ નિષ્ફળ ગયા

નીલિમા અઝીમે (Nileema Azim) તાજેતરમાં જ તેમના નિષ્ફળ લગ્ન વિશે વાત કરી હતી. તેણે તેના પૂર્વ પતિ પંકજ કપૂર (Pankaj Kapoor) અને રાજેશ ખટ્ટર વિશે પણ વાત કરી

શાહિદ કપૂરની માતાએ મૌન તોડ્યું, જણાવ્યું બંને લગ્ન કેમ નિષ્ફળ ગયા

મુંબઈ : રાજેશ ખટ્ટર (Rajesh Khattar) સાથેના લગ્ન (Marriage) અંગે તેમણે કહ્યું- જો કેટલીક બાબતો ન બની હોત તો બીજા લગ્ન (Marriage) ચાલી શક્યા હોત. તેમને અવગણવું મુશ્કેલ હતું. તે મુશ્કેલ અને અશક્ય હતું. જો તેનામાં થોડું નિયંત્રણ, તર્ક અને સૂઝ હોત તો તે ચાલી શક્યું હોત. પરંતુ તે બન્યું નહીં. આ બધું મુંબઈમાં તમામ સંઘર્ષો સાથે અને તમામ દબાણો સાથે થાય છે. અભિનેતા (Actor) શાહિદ કપૂર (Shahid Kapoor) અને ઈશાન ખટ્ટર (Ishan Khattar)ની માતા નીલિમા અઝીમે (Nileema Azim) તાજેતરમાં જ તેમના નિષ્ફળ લગ્ન વિશે વાત કરી હતી. તેણે તેના પૂર્વ પતિ પંકજ કપૂર (Pankaj Kapoor) અને રાજેશ ખટ્ટર વિશે પણ વાત કરી.

નીલિમા અઝીમે શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતા, નીલિમા અઝીમે શાહિદના પિતા પંકજ સાથેના લગ્ન વિશે કહ્યું - મારો એક ખૂબ સારો મિત્ર હતો, જેની સાથે મેં લગ્ન કર્યા. બધું જ સરસ હતું. મારા માતા-પિતા પણ સારા હતા. મારી આસપાસ હંમેશા સારા લોકો રહ્યા છે. તેથી મને ખબર ન હતી કે જીવનમાં કંઈપણ થઈ શકે છે, જેમાં પગ લપસી જાય અને આપણે પડી જઈએ. અને અસ્વીકારનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે બધા મને પસંદ કરતા હતા. મને ફોલો કરતા હતા. તેથી જ્યારે હું યુવાન અને ખુશ હતી, ત્યારે પ્રથમ વખત મેં ઉદાસી, અસ્વીકાર, પીડા, ભય, ચિંતા અને અસુરક્ષાનો સામનો કર્યો હતો.

રાજેશ ખટ્ટર સાથેના લગ્ન અંગે તેમણે કહ્યું- જો કેટલીક બાબતો ન બની હોત તો બીજા લગ્ન ચાલી શક્યા હોત. તેમને અવગણવું મુશ્કેલ હતું. તે મુશ્કેલ અને અશક્ય હતું. જો તેનામાં થોડું નિયંત્રણ, તર્ક અને સૂઝ હોત તો તે ચાલી શક્યું હોત. પરંતુ તે બન્યું નહીં. આ બધું મુંબઈમાં તમામ સંઘર્ષો સાથે અને તમામ દબાણો સાથે થાય છે. કેટલીકવાર લોકો તેનો ભોગ બને છે. પણ મારી પાસે ઊઠવાની અને ફરી ચાલવાનું શરૂ કરવાની ક્ષમતા છે અને મારા જીવનમાં મારા પ્રિય પુત્રો (શાહિદ અને ઈશાન) છે, તેઓ મારા માટે એક વિશાળ પ્રેરણા અને ખૂબ જ આનંદ અને પ્રોત્સાહનના સ્ત્રોત હતા."

આ પણ વાંચોસાઉથ એક્ટ્રેસ સામંથાના સસરાના પ્રેમમાં હતી તબ્બુ, 15 વર્ષના સંબંધ પછી પણ ના મળ્યો સાચો પ્રેમ

નીલિમાએ એમ પણ જણાવ્યું કે રાજેશ સાથે તેની હજુ પણ મિત્રતા છે. નીલિમાએ રાજેશની પત્ની વંદનાના પણ વખાણ કર્યા.

Published by:kiran mehta
First published:November 09, 2021, 11:01 am